હું મારી લાગણીઓ બચપણથી આજસુધી કાર્ટુન, ચિત્રો, હાસ્યરસ, કવિતા, ગઝલ, લઘુકથા વગેરે ની સંગાથે જીંદગી જાણતો રહ્યો છું, અને માણતો રહ્યો છું. તેને અનુરૂપ મેં મારું કાર્ય 14/10/1987 ના રોજ શરૂ કર્યુ. મારી જીવન નૌકાની દિવાદાંડી સમાન એવા ડેવલપમેન્ટ ઓફિસર ઓફ એલ.આઈ.સી. શ્રી વી.પી.ઝાલા. સાહેબ પાસેથી અવિરત માર્ગદર્શન મળતું રહ્યુ છે, અને આજે પણ એટલું જ પ્રેરણાદાયી માર્ગદર્શન મળતું રહે છે. મેં અનેક વાર કરોડપતી વીમા એજન્ટ તરીકેનું બિરૂદ મેળવેલ છે. અને અનેક મેડલ, શિલ્ડ પ્રાપ્ત કરેલ છે.
મારી ઉપરોક્ત દરેક સિદ્ધી માટે હું આભારી છું,
મારા દિવાદાંડી સમાન એવા ડેવલપમેન્ટ ઓફિસર ઓફ એલ.આઈ.સી.
શ્રી વી.પી.ઝાલા. સાહેબ નો,
મારા વીમેદારો નો,મારા એલ.આઈ.સી ઓફિસ ના સ્ટાફ મેમ્બરો નો,
મારા મિત્રવર્તુળ નો,મારા પરીવાર જનો નો,
અને ખાસ મારા ધર્મપત્ની નો હું વિષેશ આભારી છું.